થરાદના પાવડાસણમા ત્રણ ઘરના પરિવારને ધમકી આપી બે ઘર કર્યા

H22xU9J-HXg
બનાસકાંઠા

રખેવાળ,થરાદ

મળતી માહિતી મુજબ થરાદના પાવડાસણ ગામે સામાજિક મામલે બે જૂથો અથડામણ થઈ હતી જેમાં પાવડાસણના રબારી બાબરાભાઈ ગણેશાજીને માર મારી ને ધાક ધમકીઓ વગેરે આપેલ હતી ત્યારે ગત તારીખ 5.4.2020ના રોજ રબારી બાબરાભાઈ ગણેશાજી થરાદ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવેલ છે ત્યારે થરાદ પોલિસ ગુના રજી. નંબર 11195050200249 આઇ પી સી ધારા 323,394,(બી)506(2) ,મુજબ ગુનો નોંધેલ છે જેમાં આરોપી અરજણભાઈ વજાજી રબારી તથા સજાનભાઈ થાનાજી રબારી તથા અમરાભાઈ લક્ષ્મણજી રબારી વિરુદ્ધ નોંધાવેલ જે ગુનાની જાણ થતાં આ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયેલ તારીખ.15.4.2020.સુધી પોલીસના હાથમાં ન આવેલ બેફામ થયેલ આરોપીઓ તથા એમના મળતીયા લોકો સાથે મળી રબારી બાબરાભાઈ ગણેશાજી તથા વસનાભાઈ માલાજી તથા બેચરાજી લક્ષ્મણજી ને આમ કુલ ત્રણ ઘરના પરીવાર ને ગામ છોડી દેવું તમારે આ ગામમાં રહેવાનું નહીં તથા તમારે આ ગામમાં કોઈ જગ્યાએ ફરકવું પણ નહીં નહીતો અમો તમને છોડીશુ નહીં તેવી અવાર નવાર આરોપીઓ દ્વારા ધમકી મળતા ઉપરોક્ત જણાવેલ ત્રણ ઘરના પરિવારોને આવી કોરોનાની મહામારીમાં પણ મજબુર થઈ બીકના માર્યા ઘર છોડી બે ઘર થવું પડ્યું જેમાં આ ત્રણેય આરોપીઓ સામે જિલ્લા પોલીસ વડા  જલ્દી કાર્યવાહી કરાવે તેવી  ભોગ બનેલા પરિવારોની માંગ ઉઠી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.