કોરોના વૈશ્વિક મહામારીના સમયે લોકોને ઘરમાં રહેવા બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેની ભાવભરી અપીલ
HhOCRQqimcI
ન છૂટકે બહાર જવાનું થાય તો ડાયરી રાખો અને તમે દિવસ દરમ્યાન કોને કોને મળ્યા છો તેની નોંધ રાખો
કલેકટરશ્રી સંદીપ સાગલે
રખેવાળ પાલનપુર
નોવેલ કોરોના(કોવિડ-૧૯)ની વૈશ્વિક મહામારી અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેએ આવા સમયે લોકોને ઘરમાં રહેવા ભાવભરી અપીલ કરી છે. કલેકટરશ્રીએ બનાસવાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, પ્રિય બનાસકાંઠાવાસીઓ અત્યાર સુધી આપે ખુબ સરસ રીતે લોકડાઉનનું પાલન કર્યુ છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે તમે લોકડાઉનનું પાલન કરશો તેવી અપીલ કરું છું. સાથે સાથે મારી નમ્ર વિનંતી છે કે તમે ઘરની બહાર ન જ નીકળો પણ જરૂરીયાત મુજબ ન છૂટકે ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાની પાસે એક ડાયરી રાખે અને દિવસ દરમ્યાન કોને કોને મળવાનું થયું છે. તેની વિગત એ ડાયરીમાં નોંધો જેનાથી કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં તમે આવ્યા હોય તો તંત્રને પણ તે ચેઇન જોડવાની સરળતા થશે. કોરોના વાયરસથી સલામત અને સુરક્ષિત રહેવા માટે ઘરમાં રહેવાની સાથે ડાયરી રાખી તમે કોને મળ્યા છો તેની નોંધ રાખવા બનાસકાંઠા કલેકટરશ્રીએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે.