અમીરગઢમાં પોલીસ કર્મી પર અજાણ્યા યુવકે પથ્થર માર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકોમાં ભયનો માહોલ જો ફરજ પર પોલીસ કર્મીને મારે તો બીજાનું શુ થાય ?
રખેવાળ ન્યુઝ અમીરગઢ
અત્યારે ચાલી રહેલી કોરોના મહામારી ને પગલે સમગ્ર વિસ્તારમાં દરેક નાકે અને ચાર રસ્તા પર પોલિસ જવાનો ઉભા રાખવામાં આવ્યા છે. જેથી લોકો રૂલ્સનું ઉલ્લંઘનના કરે અને શાંતિ જળવાઈ રહે. પરંતુ આજે અમીરગઢ યુનિયન બેંક આગળ ઉભેલા ફરજ પરના પોલીસ જવાન પર અજાણ્યા ઈસમ દ્વારા કોઈ વાટાઘાટો થતા ઉશ્કેરાયેલા ઈસમેં ફરજ પરના પોલીસ કર્મીને પથ્થર મારી નાસી છૂટ્યો હતો. જો કે ત્યાં ઉભેલા સ્થાનિક અને અન્ય પોલીસ કર્મી દ્વારા ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને અમીરગઢ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અમીરગઢ પીલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક સાધતા જાણવા મળેલ કે તે અજાણ્યા ઈસમ વિરૃદ્ધ કોઈ પણ ફરિયાદ કે એક્શન લેવામાં આવેલ નથી. આશ્ચર્યજનક વાત તો એ છે કે ભર બજારમાં આવા અસામાજિક તત્વો દ્વારા જો ફરજ પરના પોલીસ કર્મીને આટલી ઇજા પોહચડી શકતા હોય તો આમ જનતાની સુરક્ષાનું શું…?

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.