![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/થરાદમાં-સર્જાતી-ટ્રાફિકની-સમસ્યાના-HED.jpg)
વાવ તરફથી આવતાં ભારે વાહનોને ડાયવરજન અપાતાં હાશકારો
વાવ તરફથી આવતાં ભારે વાહનોને ડાયવરજન અપાતાં હાશકારો નાળાંની કામગીરીના ખોદકામથી ટ્રાફિકના કારણે સમસ્યા સર્જાતી હતી
થરાદમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ચાર કિલોમીટરનો માર્ગ સર્વિસ લેન સાથે ફોરલેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે નાળાંની કામગીરીના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રખેવાળ ના ડાયવરજન આપવાના લોકોની માંગણીના અહેવાલને પગલે વાવ બાજુથી આવતાં ભારે વાહનોને ડાયવર્ટ કરાતાં સામાન્ય રાહતની અનુભુતિ થવા પામી છે.
થરાદ સાંચોર હાઇવેથી નર્મદા કેનાલ સુધીના ફોરલેન રોડની કામગીરીના નાળાંની ત્રણેક ઠેકાણે કામગીરીના પગલે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાવા પામતી હતી. આથી ભારે વાહનોને ડાયવર્જન આપવાની માંગણી આપતો અહેવાલ ગત રોજ ઉત્તર ગુજરાતના જાણીતા રખેવાળ દૈનિકમાં પ્રસિધ્ધ થવા પામ્યો હતો.
જેના પગલે તંત્ર દ્વારા ઉચ્ચસ્તરેથી મળેલી સુચના મુજબ વાવ ઢીમા હાઇવે પર હંગામી જીઆરડી કર્મચારીઓને ગોઠવી વાવ તરફથી આવતાં તમામ ભારે વાહનોને વાયા કેનાલ પાસે શિવનગર ત્રણ રસ્તાથી પાણીના મોટા ટાંકા પાસે ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં. જેને લઇને સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી. આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે એકંદરે રોડની કામગીરીને લઇને બંદર તરફથી આવતાં ભારે પરપ્રાંતીય વાહનોને હાલ પુરતાં ડાયવરઝન આપવામાં આવ્યું છે.