બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રુજી..! વાવમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રુજી..! વાવમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં અઢી માસ બાદ ફરી એકવાર ધરા ધ્રુજી હતી. જિલ્લાના વાવમાં શનિવારે વહેલી સવારે 3.35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજતા લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, 4.3 ની તીવ્રતાના ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હોવાના અહેવાલ સાંપડ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવમાં શનિવારે લોકો છેલ્લા પ્રહરમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે 3:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વાવમાં  3.35 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ હતી. ભૂકંપ નો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વહેલા પરોઢિયે ધરા ધ્રુજી; ત્રીજી મે’ના રોજ વહેલા પરોઢિયે 3:35 વાગે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા સાથે નોંધાઈ હતી. આ માહિતી આપતાં ISR એ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠાના વાવમાં જમીનથી 4.9 કિલોમીટર નીચે હતું. આજે સવારે 3:35 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. જેના કારણે નજીકના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી.

ભૂકંપમાં કોઇ નુકસાન નહિ; સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, ભૂકંપના આંચકા બહુ મજબૂત નહોતા. ત્યારે આવી સ્થિતિમાં  ક્યાંય પણ કોઈ જાનહાનિ થઈ નથી. કે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ભૂકંપ આવવાનું કારણ? ભૂકંપ આવે છે. કારણ કે પૃથ્વીની સપાટી નીચેની ટેક્ટોનિક પ્લેટ્સ (ભૂખંડો) ખસે છે, ટકરાય છે અથવા એકબીજા પર દબાણ કરે છે. આ પ્લેટ્સ પૃથ્વીના આંતરિક ભાગમાં ગરમી અને દબાણને કારણે ધીમે-ધીમે ખસતી રહે છે. જ્યારે આ ખસવાનું દબાણ એકઠું થઈને અચાનક મુક્ત થાય છે, ત્યારે પૃથ્વીની સપાટી પર ઊર્જા મુક્ત થાય છે, જેને આપણે ભૂકંપ તરીકે અનુભવીએ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *