જેલમાં ખોટી રીતે રાખ્યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર : સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મળત્યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્ત કરતા આપી હતી. જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ સંજય કરોલ અને જસ્ટીસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્યું કે અમેરિકા જેવા વિદેશી ન્યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્ય બંને કાયદાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે…

