અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવીને શાંતિ ડહોડવાના પ્રયાસ

અરવલ્લી
અરવલ્લી

હાલ કોઈને કોઈ રીતે અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવીને શાંતિ ડહોડવાના પ્રયાસ થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મેઘરજ નગરમાં બનવા પામી છે.

મેઘરજ નગરના પંચાલ રોડ પર બાઇક પર માતા અને બે પુત્રો જઈ રહ્યા હતા. એ સમયે લાલ કલરની નંબરપ્લેટ વગરના બાઇકચાલકે માતા અને બે પુત્રોના બાઇકને અથડાવી અને પથ્થર મારીને આતંક મચાવ્યો હતો. જેથી બે ભાઈ અને માતાએ શા માટે આમ કરે છે એમ કહેતા અન્ય ત્રણ અસામાજિક તત્વો પણ ધસી આવ્યા અને મહિલાનું ગળું દબાવી બંને ભાઈઓ સાથે મારામારી કરી જાતિ વિષયક ઉચ્ચારણ કર્યું હતું.સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મેઘરજ પોલીસને જાણ કરી હતી. મેઘરજ પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધી આતંક ફેલાવી નગરની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરનાર 4 અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તમામને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.