ભિલોડામાં ઝેટકો કંપની દ્વારા બની રહેલા સબ સ્ટેશનને ખસેડવા ગામ લોકો આકરા પાણીએ

અરવલ્લી
અરવલ્લી

તંત્ર દ્વારા ગ્રામજનો અને ખેડૂતોને નિયમિત વીજળી મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં સબ સ્ટેશનો બનાવવામાં આવે છે. ત્યારે આવા પાવર હાઉસની કામગીરીમાં ગ્રામજનોએ પણ સહકાર આપવો જરૂરી છે. ત્યારે ભિલોડાના ખુમાપુર ગામે ચાલી રહેલા સબ સ્ટેશનનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


ભિલોડાના ખુમાપુર ગામે આસપાસના ખેડૂતોને નિયમિત ઘર વપરાશ અને ખેતીવાળી માટે જરૂરી વીજળી મળી રહે એ માટે યુજીવીસીએલ દ્વારા 220 કેવી સબસ્ટેશન મંજુર કર્યો છે. જે જગ્યા પર સબ સ્ટેશન મંજુર કર્યું ત્યાં આજથી બાંધકામની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે આ કામગીરીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામજનોની માગ છે કે, આ સબ સ્ટેશન અન્યત્ર ખસેડવામાં આવે તે માટે એક તરફ ગ્રામજનોનો વિરોધ ચાલી રહ્યો છે. આવા વિરોધ વચ્ચે જેટકો કંપની દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે 220 કેવી સબસ્ટેશનની કામગીરી શરૂ કરી છે. ત્યારે હાલ પણ તંત્રની કામગીરી સામે ગ્રામજનોનો રોષ જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.