સાબરકાંઠા અને અરવલ્લીના ગ્રામ પંચાયતના VCE સ્નેહ સમારંભમાં વેતનનો મુદ્દો ગરમાયો

અરવલ્લી
અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના હરસોલ માર્કેટ યાર્ડમાં શનિવારે યોજાયેલ અરવલ્લી જિલ્લાના વીસીઇના સ્નેહ સમારંભમાં વેતનનો મુદ્દો ગરમાયો હતો અને આમંત્રિત સાંસદ – રાજ્ય કક્ષાના મંત્રીએ સરકાર સુધી વાત પહોંચાડવા આશ્વાસન આપ્યુ હતું.

હરસોલ માર્કેટ યાર્ડમાં યોજાયેલ સ્નેહ સમારંભમાં બંને જિલ્લાના 450 વીસીઇ, રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઇ મંડળના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી પંકજભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મનહરસિંહ ઝાલાએ જણાવ્યુ કે મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો કરાઇ રહ્યા છે. વીસીઇને પગાર કે કમિશન મળતું નથી. વર્ષ 2016 થી આઉટ સોર્સિંગ પદ્ધતિથી જે મહેનતાણુ ચૂકવાય છે. તેના માટે માંગણી કરી રહ્યા છીએ. દરેક યોજનાની અરજીઓ, ચૂકવણા વગેરેની કામગીરી રાતભર જાગીને વીસીઇ દ્વારા થાય છે નિયમિત મહેનતાણું મળતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.