અરવલ્લીમાં બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો જેમાં, બે કાર આમને સામને ટકરાવાને લઈ એક શિક્ષક સહિત બે લોકોના મોત નિપજ્યાં છે. મોડી રાત્રી દરમિયાન ભિલોડાના ભેટાલી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચૂંટણી ફરજ પૂર્ણ કરીને શિક્ષક ગોપીચંદ ડાભી પરત પોતાના ઘરે જેસીંગપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાતા તેમનું મોત નિપજ્યું હતુ.

મોડીરાત્રીના અરસા દરમિયાન સામેથી આવી રહેલી કારની સાથે શિક્ષકની કાર અથડાઈ હતી. સામે અથડાયેલ કાર સ્થાનિક બુટલેગરની હોવાની વિગતો સામે આવી છે. પૂરઝડપે આવી રહેલી કાર સાથે શિક્ષકની કારનો અકસ્માત સર્જાતા બંને કારના ચાલકોનું મોત નિપજ્યું હતુ. શિક્ષક ગોપીચંદ ડાભી અને બુટલેગર નીતિન બળેવાનું મોત નિપજ્યું હતુ. ઘટનાને પગલે પોલીસે પણ તપાસ શરુ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.