ભિલોડાના સુનસરથીખાપરેટા તરફનો રોડ આઝાદી પછી ક્યારેય પાકો રસ્તો બન્યો નથી

અરવલ્લી
અરવલ્લી

ભિલોડાના સુનસર ગામની સુનસર ગામથી ખાપરેટા તરફનો રસ્તો આઝાદી પછી ક્યારેય બન્યો નથી. ગ્રામજનોએ અનેક વખત રસ્તા બાબતે રજૂઆત કરી છે ત્યારે તંત્રએ રસ્તો મંજૂર કર્યો છે. તંત્ર દ્વારા રોડ મંજૂર થયો હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા 500 મીટર જેટલો રોડ છોડીને ખપરેટા તરફ ડામર રોડ શરૂ કર્યો છે. ત્યારે સુનસર ગામનો મુખ્ય 500 મીટર રોડ કેમ નથી બન્યો એ પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે.આ ખોવાયેલા 500 મીટર રોડ ગ્રામજનો શોધી રહ્યા છે. ત્યારે આજે ગ્રામજનોએ રસ્તા બાબતે રામધૂન કરી છે અને સૂત્રોચ્ચાર કરીને પાકા રસ્તાની માગ કરી છે. રસ્તો પાકો ના હોવાના કારણે ગામમાં કાદવ કીચડનું પ્રમાણ વધી ગયું છે. અવરજવર કરનાર રાહદારીઓ અને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે ગ્રામજનોએ તંત્રને જગાડવા અને ખોવાયેલો રસ્તો શોધવા રામધૂન કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.