રાજપૂત સંગઠન દ્વારા સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી
અરવલ્લી

રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ઘુસી ગોળી મારી હત્યા કરવાના બનાવમાં સમગ્ર દેશમાં રજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપી હત્યારાઓને ફાંસીના સજા આપવા માગ કરી છે.


રાજસ્થાનના જયપુરમાં રાજપૂત સમાજનું સંગઠન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના નિવાસ સ્થાને નિર્મમ હત્યા કરવામાં આવી. જેને લઈ અરવલ્લી જિલ્લામાં પણ વિરોધના સુર જોવા મળ્યા છે. જિલ્લા રાજપૂત સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની ધરપકડ અને સખતમાં સખત સજા કરવામાં આવે એવી માગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.