ભિલોડા તાલુકામાં કળશ યાત્રાનું ધારાસભ્યના અધ્યક્ષસ્થાને સમાપન કરાયું

અરવલ્લી
અરવલ્લી

હાલ આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં તેની ઉજવણીને લઈ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અરવલ્લીના ભિલોડા તાલુકામાં આજે કળશ યાત્રાનું સમાપન યોજાયું હતું.


ભિલોડા તાલુકાના દરેક ગામડાઓમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ગામડાઓની માટી એક કળશમાં લઇ અને જિલ્લા અને પ્રદેશ અને ત્યાંથી દિલ્હી ખાતે આ દેશની આઝાદીમાં અને આ દેશની રક્ષા માટે જેમણે બલિદાનો આપ્યા છે તેમની યાદમાં શાહિદ વન બનાવવાનું છે એ શાહિદ વનમાં આ માટી લઈ જઈ અને દરેક દેશના દરેક ગામોને આ નિર્માણ કાર્યમાં સહભાગી બનાવવાનો કાર્યક્રમ અંતર્ગત આજે ભીલોડના ધારાસભ્ય પી.સી બરંડાના અધ્યક્ષતામાં સમાપન કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.