બાયડના લક્ષ્મીપુરા ગામના તળાવમાંથી બે દિવસથી ગુમ યુવકનો મૃતદેહ મળ્યો

અરવલ્લી
અરવલ્લી

બાયડના જુનાશેઢા ( આમોદરા ) ગામના રણજિત સોલંકી નામનો 18 વર્ષીય યુવક બે દિવસથી ગુમ હતો. આજે બાયડના લક્ષ્મીપુરા કંપા ગામના તળાવમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તપાસ કરતા આ મૃતદેહ જુનાશેઢા ગામના બે દિવસથી ગુમ રણજિત સોલંકીનો હોવાનો ખ્યાલ આવ્યો. જેથી બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને મૃતદેહ બહાર કાઢી પંચનામું કરીને પીએમ અર્થે બાયડ આઈએચસી મોકલી અપાયો હતો. મોત ક્યાં કારણોસર થયું તે હકીકત હજુ જાણી શકાઈ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.