મોડાસા જિલ્લા ભાજપ શ્રીકમલમ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

અરવલ્લી
અરવલ્લી

જેમ-જેમ લોકસભાની ચૂંટણીઓનો સમય નજીક આવતો જાય છે એમ રાજકીય પક્ષો પોતાની પાર્ટીનું સંગઠન વધુ મજબૂત કરવા લાગ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા.


પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં એક જ સમયે જિલ્લા ભાજપ કાર્યાલયો પર દિવાલ પર કમળનું ચિત્ર બનાવી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવાનું નાકી કરેલ છે. તે મુજબ આજે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, ભિલોડા ધારાસભ્ય પી.સી બરંડા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દીવાલ પર કમળનું ચિત્ર બનાવીને લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.