મોડાસા એન્જિનિયરિંગ કોલેજ ખાતે બાબા સાહેબની છબીને પુષ્પમાળા અર્પણ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

અરવલ્લી
અરવલ્લી

આજે 6 ડિસેમ્બરના રોજ દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનો દેહ વિલય થયો હતો. જેથી ઠેર-ઠેર આજે પુણ્યતિથિની ઉજવણીઓ થઈ રહી છે. તેના ભાગરૂપે આજે મોડાસા ખાતે પણ ઉજવણી કરાઈ હતી.


ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉક્ટર બાબા સાહેબની દર વર્ષની 06 ડિસેમ્બરેના રોજ શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ મોડાસા એન્જિનિયરિંગ કોલેજના પરિસરમાં ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. બાબા સાહેબની છબીને પુષ્પમાળા અર્પણ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.