શામળાજી મંદિરથી વિશ્વકર્મા મંદિર સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

અરવલ્લી
અરવલ્લી

સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરી રહ્યો છે. ઠેર-ઠેર તિરંગા યાત્રા, મશાલ રેલી જેવા અલગ અલગ દેશ ભક્તિના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં તિરંગા યાત્રાના સમાપનમાં ધારાસભ્ય ગરબે ઝુમ્યા હતા.આજે યાત્રાધામ શામળાજીમાં શામળાજી મંદિરથી તિરંગા યાત્રા ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આઇપીએસ પી.સી.બરંડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ યાત્રા શામળાજી મંદિરથી વિશ્વકર્મા મંદિર સુધી નીકળી હતી. જેમાં દેશભક્તિના ગીતો સાથે લોકો ઝુમ્યા હતા. ધારાસભ્ય સહિત તાલુકા ભાજપના અગ્રણીઓ, મહિલાઓ પણ આ યાત્રામાં જોડાઈ હતી.આ તિરંગા યાત્રાનું સમાપન શામળાજી વિશ્વકર્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં ધારાસભ્ય પી.સી.બરંડા હાથમાં તિરંગો લઈને ગરબે ઘૂમ્યા હતા. તેમની સાથે ભાજપ પ્રમુખ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો સહિતના કાર્યકરો પણ હાથમાં તિરંગો રાખીને ગરબે ઘૂમ્યા હતા. આમ તિરંગા સહિતના ગરબાએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.