અરવલ્લી જિલ્લા માં રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લેવાઇ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં પણ મેરી માટી, મેરા દેશ અભિયાનની ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત મોડાસા માલપુર મેઘરજ ધનસુરા અને ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર- ઠેર ગ્રામ પંચાયતો ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનમાં જિલ્લાના અનેક ગામોમાં મેરી માટી, મેરા દેશ જનભાગીદરી થકી ભવ્ય ઉજવણીનું ઠેર ઠેર ભવ્ય આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વીરોને નમન કરવાના હેતુથી તમામ પંચાયતમાં શિલાફલકમનું નિર્માણ કરાયું હતું. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ગામ દીઠ 75 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું. વધુમાં ગામના લોકોએ ભેગા મળી હાથમાં માટી અને માટીનો દીવો લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત વીર શહીદોના પરિવારજનોનું સન્માન પણ કરાયું હતું. તમામ ગ્રામ પંચાયત કક્ષાએ જાનાર કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.