માલપુરના સ્વામિનારાયણ મંદિરે મહંત વસુદેવાનંદ બ્રહ્મચારીની ઉપસ્થિતિમાં શતાયુ હરિભક્તોનું સન્માન કરાયું

અરવલ્લી
અરવલ્લી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી ભૂષણ નામના પવિત્ર ગ્રંથનું ખૂબ મહત્વ છે. ત્યારે આ પવિત્ર ગ્રંથના રચયિતા અને મૂળ માલપુરના વતની વસુદેવાનંદ સ્વામી કે જેમની ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારીને ગાદી સોંપી હતી. એવા સંતનું જન્મ સ્થાન માલપુરના ઘોડાવાડમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો આજે 23મો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો છે.માલપુરના સ્વામિનારાયણ મંદિરે ભગવાનનું પંચોપચાર વડે અભિષેક અને પૂજન કરાયુ હતું. જલારામ મંદિર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર નિર્માણ માટે જેમણે મહત્વનું યોગદાન આપ્યું છે એવા કાલુપુર સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવતા વાસુદેવ બ્રહ્મચારીનું યજમાન અમૃત પટેલ અને તેમના પરિવાર દ્વારા સન્માન કરાયું હતું.


મહંત વસુદેવાનંદ બ્રહ્મચારી દ્વારા વસુદેવાનંદ બ્રહ્મચારીના જન્મ સ્થાન માલપુર અને સત્સંગી ભૂષણનું મહત્વ સમજાવ્યું હતું અને હરિભક્તોનું સન્માન કરાયું હતું. મહંત વાસુદેવ બ્રહ્મચારીએ સમગ્ર કાર્યક્રમમાં મહત્વની કામગીરી બજાવનાર નવીન પટેલ, મંગલપુરના ગજેન્દ્રસિંહ રાઠોડ અને માલપુર મંદિરના કોઠારી પ્રકાશ સોનીનું સન્માન કર્યું હતું. આમ હર્ષોલ્લાસથી માલપુર સ્વામિનારાયણ મંદિરનો 23મો પાટોત્સવ ઉજવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.