ભિલોડાના સુનોખ પાસે મહાદેવના મંદિરમાંથી મહંતનો મૃતદેહ મળતા ચકચાર

અરવલ્લી
અરવલ્લી

ભિલોડાના સુનોખ પાસે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાંથી આજે વહેલી સવારે મહંતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ હતી આ અંગે પોલીસને જાણ કરતાં ટીંટોઇ પોલીસે જાણવાજોગ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુનોખમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી રહેતા નારાયણગિરી રમેશગિરી સાધુ નો મંદિરના ઓરડીમાંથી આજે વહેલી સવારે શંકાસ્પદ મૃત હાલતમાં મળતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે ભવાનભાઈ કોદરભાઈ તરાર રહે. ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ ગુપ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે દોડી ગઈ હતી અને મહંત નારાયણગિરી રમેશગિરી સાધુના મોત અંગે જાણવાજો ફરિયાદ દાખલ કરી મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.