મેઘરજના પંચાલ ગામે માટીને નમન વિરોને વંદન કાર્યક્રમ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

હાલ આઝાદી કા અમૃત મહોત્સવના ઉત્તરાર્ધમાં દરેક વિસ્તારમાં મારી માટી મારો દેશ અંતર્ગત માટીને નમન અને વિરોને વંદન કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. ત્યારે મેઘરજના પંચાલ ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. શહિદ પત્નીના હસ્તે માટીનો કુંભ લઈને પૂજન અર્ચન કરી હતી. આ વિસ્તારની માટી કુંભમાં નાખવામાં આવી હતી. ગામના સૌ અગ્રણીઓ તેમજ પૂર્વ સૈનિકોએ પણ માટીના કુંભનું પૂજન કરી કુંભમાં માટી નાખીને દેશની મિટ્ટીને સલામ કરી હતી. આ પ્રસંગે જેમણે દેશ માટે બલિદાન આપેલું છે. તેમના નામના શીલફલકમની સ્થાપના કરાઈ હતી. તેમજ ગ્રામ પામચાયતના સરપંચ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ દ્વારા વૃક્ષારોપણ કરાયા હતા. આ તમામ માટીના કુંભનું દિલ્હી ખાતે નિર્માણ પામનાર અમૃત વાટિકા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.