અરવલ્લીમાં હવસખોરે આચર્યું 3 વર્ષની બાળકી સાથે અધમકૃત્ય

અરવલ્લી
અરવલ્લી

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેના વિષે સાંભળીને નારાધમો સામે ફિટકાર વરસાવવાનું મન થાય ત્યારે આવી જ વધુ એક ઘટના અરવલ્લીના ધનસુરાથી સામે આવી છે જેમાં એક હવસખોરે માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે જેમાં બાળકીનું મોત થયું છે. બાળકીના મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


અરવલ્લીના ધનસુરા તાલુકામાં એક નરાધમ હવસખોરે બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. નારાધમે ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપરને પોતાની હવસનો શિકાર બનાવી છે. જેને કારણે માસૂમ બાળકીનું મોત થયું છે. બાળકીના મૃતદેહને ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે.ધનસુરા ખાતે માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચાર્યાની વાત ફેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે ધનસુરા પોલીસ પણ દોડતી થઈ હતી હતી. મળતી માહિતી મુજબ, DYSP, PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.