અરવલ્લીના ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને મોટી સંખ્યામાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું

અરવલ્લી
અરવલ્લી

મોડાસા તાલુકાના ખેડૂતોએ દિવસે ખેતીની વીજળી આપવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રાત્રિ સમયે વીજળી મળતા વન્ય પ્રાણીઓનો ખેડૂતોને ભય સતાવતો હોવાથી દિવસે વીજળી અપાય તેવી તંત્રને રજૂઆત કરાઈ છે.


હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, વાતાવરણમાં પણ સતત બદલાવ સાથે ઠંડીનું પ્રમાણ વધતું ગયું છે. ખેડૂતો એ હાલ ઘઉંનું મબલખ વાવેતર કર્યું છે. ઘઉંના પાકને પાણી આપવા માટે ઇલેક્ટ્રિક મોટર ચલાવવી જરૂરી છે, પરંતુ તંત્ર દ્વારા રાત્રિના સમયે ખેતીની વીજળી આપવામાં આવે છે. જેથી ખેડૂતોને કકડતી ઠંડીથી આરોગ્ય સામે તેમજ જોખમ સામે રક્ષણ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો, ચિત્તો જેવા વન્ય પ્રાણીઓ પણ જંગલમાંથી બહાર આવી રહ્યા છે. રાત્રિના સમયે કકડતી ઠંડીમાં પ્રાણીઓનો ભય સતાવી રહ્યો છે. જેથી ખેડૂતોને દિવસના સમયે વીજળી અપાય એવી તંત્ર પાસે માગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.