અરવલ્લીમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તાઓ તૂટ્યા

અરવલ્લી
અરવલ્લી

મેઘરજ નગરમાં ગેલી માતાના મંદિરથી વાત્રક પુલ સુધી કરોડોના ખર્ચે વિકાસ પથ મંજૂર થયો હતો. તંત્ર દ્વારા આ વિકાસ પથ બનાવવામાં આવ્યો હતો. આ વિકાસ પથ બને એક વર્ષ જેટલો પણ સમય થયો નથી. એટલામાં તો એની ગુણવત્તા પર સવાલો ઉભા થયા હતા અને ચોમાસાની શરૂઆત થતાં પહેલાં જ આ વિકાસ પથમાં વરસાદે મોટા મોટા ભુવા પડ્યા છે. ત્યારે બીજી તરફના ભાગે પણ રસ્તો તૂટી ગયો છે. જ્યારે આ રસ્તો બન્યો ત્યારે હલકું માટીરીયલ વાપર્યું હોવા અંગે પણ આક્ષેપો થયા હતા.પ્રથમ વરસાદે જ આ વિકાસ પથ પર મસમોટા ભુવા પડ્યા છે. પાંચ પાંચ ફૂટ ઊંડા ભુવા પાડવાના કારણે એકતરફનો રસ્તો પણ બંધ કરાયો છે. રોડની બીજી તરફના ભાગે પણ રસ્તો પ્રથમ વરસાદે જ તૂટી ગયો છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની મિલીભગત સામે આવી છે. તંત્ર દ્વારા જનતાની સુખાકારી માટે ક્યારેક આવા રસ્તા મંજૂર થતા હોય છે. ત્યારે આવી નબળી કામગીરીને લઈ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.