![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/25.jpg)
સરકારની જન કલ્યાણકારી યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવાનો નીર્ધાર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પહોંચ્યો હતો. જ્યાં સરકારની વિવિધ યોજના જેવી કે વિશ્વકર્મા યોજના, pmjay યોજના, પીએમ કિસાન યોજના, ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે ખાસ અપીલ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં માલપુર ખાતે રથ પોહચ્યો હતો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે આપવામાં આવી રહ્યો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનનો વીડિયો સંદેશ તથા લાભાર્થીઓને વિવિધ સહાય અને યોજનાની જાણકારી આપવામાં આવી જે અંતર્ગત માલપુર ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે સંબોધન કરતા વિશ્વકર્મા યોજના, pmjay યોજના, પીએમ કિસાન યોજના, ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા ખાસ અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ અને તાલુકા સદસ્યો અને પદાધિકારીઓ તેમજ અન્ય વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.