અરવલ્લી જીલ્લાનાં અકસ્‍માતના મૃતકોનાં પરિવારોને ૪ લાખની સહાયની જાહેરાત કરતા ભુપેન્‍દ્રભાઇ

અરવલ્લી
અરવલ્લી

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્‍યુ અંગે ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી આ પદયાત્રીઓના પરિવારજનોને સાંત્‍વના પાઠવી છે. મુખ્‍યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્‍યેક મૃતકને રૂપિયા ૪ લાખની સહાય મુખ્‍યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે. ર્ંઇજાગ્રસ્‍ત લોકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે. તેમણે આ માર્ગ દુર્ઘટનામાં ઈજાગ્રસ્‍ત લોકોની જરૂરી સારવાર વ્‍યવસ્‍થા કરવાની પણ અરવલ્લી જિલ્લા કલેક્‍ટરને સૂચના આપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.