અરવલ્લીમાં યોજાશે 15મી ઓગસ્ટના રાજ્યકક્ષાની ઉજવણી
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે મુખ્ય ઉત્સવ 15 મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ એમ બે દિવસ ઉજવાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે મોડાસા ખાતે આવેલ મોદી ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ અને પરેડ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાની ઉજવણીમાં પ્રથમ વખત કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ વોટરપૃફ ડોમની છત તિરંગાથી સજાવશે કાર્યક્રમ વખતે જ્યાં નજર કરો ત્યાં તિરંગા જ દેખાશે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ડોમને તિરંગાથી સજાવવા બહારથી ખાસ કારીગરો દ્વારા કામગીરી પુર જોશમાં કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની પોલીસ દ્વારા પરેડ યોજાવાની છે. તેની ફરતે બોર્ડરને પણ તિરંગાથી સજાવવામાં આવશે. આમ રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ પુર જોશમાં શરૂ થઈ ગઈ છે.