![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/mkmk03.jpg)
ભિલોડા ખાતે નવા કાયદાના વિરોધમાં ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરાયું ; કાયદો રદ કરવાની કોંગ્રેસે માગ કરી
કોઈપણ નાનો કર્મચારી મજબૂરી વશ રોજગારી પ્રાપ્ત કરવા સાહસિક ફરજ બજાવતા હોય છે. ત્યારે આવા સાહસિક કાર્યમાં ક્યાંક ચૂક રહે તો તંત્ર દ્વારા આકરી સજાના કાયદા બનાવવામાં આવે છે. ત્યારે આવા કાયદાઓનો ઠેર-ઠેર વિરોધ કરાતો હોય છે. હાલ સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ડ્રાયવરોને લઈ જાહેર કરાયેલા કાયદાને લઈ ઠેર-ઠેર આંદોલન શરૂ કરાયું છે.
હાલ કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોઈપણ ટ્રક ડ્રાયવર દ્વારા અકસ્માત થાય તો 10 વર્ષની કેદ અને સાત લાખ રૂપિયાનો દંડ કરતો કાયદો બહાર પડ્યો છે. જેને લઈને ઠેર-ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આજે ભિલોડા નગરમાં ટ્રક ડ્રાયવરો દ્વારા ચક્કાજામ કરી ભિલોડા-ઇડર રોડ બંધ કરાયો છે. આ રસ્તે ચક્કાજામ કરાતા વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી હતી.
ટ્રક ડ્રાયવરોનો કાયદો રદ કરવાના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી આવી છે. આજના ચક્કાજામમાં ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા હતા અને એક સામાન્ય પગારમાં નોકરી કરી જીવન ગુજરો કરતા ડ્રાયવર સાત લાખ રૂપિયા ક્યાંથી ભરે ? જેથી આ કાયદો રદ કરવાની કોંગ્રેસે માગ કરી હતી.
Tags rakhewaldaily sabarkantha