અરવલ્લી જિલ્લા ભાજપ મંત્રીનું કોરોનાથી મોત

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી : દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહકાર મચાવી દીધો છે. આ સાથે મોતનો આંકડો પણ દેશમાં એકલાખને પાર થઇ ચુક્યો છે. આ ઘાતક વાયરસની ઝપટમાં સામાન્ય માણસથી લઇને નેતા-અભિનેતા પણ બચી શક્યા નથી.જેમાં અરવલ્લી જિલ્લા ભાજપનાં મંત્રી ગજાનંદ પ્રજાપતિનું પણ કોરોના વાયરસનાં કારણે નિધન થયુ છે.
અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસેનાં પાલ્લામાં રહેતા ગજાનંદભાઈ પ્રજાપતિનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. ગજાનંદભાઈ પ્રજાપતિ પાલ્લા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા ૨૦ દિવસથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. તેમના નિધનથી તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. જ્યારે બીજી તરફ ગજાનંદ પ્રજાપતિનાં નિધનથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.