ખેડુતોને નુકસાનકારક સમાન કરારી ખેતી વટહુકમ તત્કાલ રદ કરવા બાબતે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝહિંમતનગર : ખેડુતોને નુકસાનકારક સમાન કરારી ખેતી વટહુકમ તત્કાલ રદ કરવા બાબતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.કેન્દ્રની ભાજપ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં બહુમતીના જોરે કરારી ખેતી વટહુકમ બિલ પસાર કરવામાં આવ્યું છે જે ખેડુત વિરોઘી છે તે બિલના વિરોધમાં સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી ને સંબોધી સાબરકાઠા જિલ્લા કલેક્ટર ના માધ્યમથી કરારી ખેતી વટહુકમ બીલ રદ કરવા માટે આવેદન પત્ર આપવામા આવ્યુ હતું અને ચિમકી આપવામાં આવી હતી કે આવનારા દિવસોમાં ખેડૂતો અને કોંગ્રેસ ની માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ ફરજ પડશે આ કાયૅક્રમ મા સાબરકાઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવદન પટેલ, ઘારાકુમારી ,ગૌતમ સુતરીયા, અશોક વાઢેર,પુજન પટેલ, આર કે વાઘેલી , ઘુ્‌વ પટેલ,આસિફ , ટીવી પટેલ, સિવરાજસિંહ ઝાલા,ભાવિન પટેલ અને મિડીયા કન્વીનર યુસુફ બચ્ચા સહીત યુવક કોંગ્રેસ ના હોદ્દેદારો તથા કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.