મોડાસા ખાતે નરેન્દ્રમોદી વિચારમંચ પ્રદેશ આઇટી સેલની કાર્યકારી બેઠક યોજાઈ

અરવલ્લી
અરવલ્લી

હાલ લોકસભાની ચૂંટણીઓની તમામ રાજકીય પાર્ટીઓ અલગ-અલગ કાર્યક્રમો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપની એક પાંખ નરેન્દ્ર મોદી વિચાર મંચના આઇટી સેલની પ્રદેશ કાર્યકરિણી બેઠક મોડાસા ખાતે યોજાઈ હતી. સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ કાર્યરત છે. જેમાં યુવાઓ અને મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો અને આદર્શો આધારિત સંગઠનની કામગીરી ચાલતી હોય છે. ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના આઇટી સેલની બેદિવસીય પ્રદેશ કાર્યકરિણી બેઠક મોડાસા ખાતે યોજાઈ હતી. જેમાં આઇટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ રેખા દીદી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચેહર દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદર્શો અને સૂત્ર ‘નયી સોચ, નયી ઉમ્મીદો કા ઉદય મિશન 2024’ આ મુખ્ય સૂત્ર આધારે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી એકવખત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વધુ એક વખત બિરાજમાન થાય તે માટે નરેન્દ્ર મોદી વિચાર મંચ સક્રિય રીતે સમગ્ર ગુજરાત અને દેશમાં કાર્યરત થાય તે માટે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ આહવાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.