મોડાસા : પશુ ભરેલ જીપડાલાએ અંબાજી ચાલતા ત્રણ પદયાત્રીઓને અડફેટે લીધા

અરવલ્લી
અરવલ્લી

ભાદરવી પૂનમને લઇ દૂર દૂરથી પદયાત્રા સંઘો અંબાજી ચાલતા નીકળેલ છે. હજારો પદયાત્રીઓ અરવલ્લીના માર્ગો પર ચાલી રહ્યા છે ત્યારે સવાર ના આસપાસ માલપુર રોડથી મોડાસા તરફ પશુ ભરેલ એક જીપડાલું ઓવરસ્પીડમાં જઈ રહ્યું હતું,  જે જીપડાલામાં ત્રણ પશુઓ ભરેલા હતા. તેવામાં અચાનક જીપડાલા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપડાલું રેલાવા લાગ્યું અને ત્રણ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

 

દાહોદ-સંજેલી તરફનો સંઘ સાકરીયા પાસેથી પસાર થતો હતો તે સમયે જીપડાલાના ચાલકે ટક્કર મારી હતી અને જીપડાલું પલટી ગયું હતું. ઘટના બનતા બીજા અન્ય પદયાત્રીઓ અને આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા અને 108 બોલાવી ત્રણેયને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં એક ગંભીર હોવાથી તેને ગોધરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ડાલામાં ભરેલા પશુઓને પણ પદયાત્રીઓએ બચાવ્યા હતા. લોકોએ જીપડાલાના ચાલકને પણ ઝડપીને પોલીસને સોંપ્યો છે. ત્યારે આ પશુઓ ચોરી ના હતા કે કેમ સમગ્ર બાબતે મોડાસા રુલર પોલીસે ફરિયાદ નોંધીને ચાલકની પૂછપરછ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.