અરવલ્લી જિલ્લામાં કંજકટી વાઇટીઝનો રોગ વકર્યો 335 કેસ નોંધાય

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં પણ કન્જકટીવાઈટિસના દર્દીઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને, બાળકોમાં કન્જકટીવાઈટિસના કેસોની સંખ્યા વધી રહી છે.હાલ ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માજા મુકી છે. આ બધાની વચ્ચે અરવલ્લી જિલ્લામાં લોકોમાં આંખ આવવાની એટલે કે કન્જકટીવાઈટિસની સમસ્યા ખૂબ વધી રહી છે. હાલ સરકારી ચોપડે કુલ 335 કેસ કંજકટીવાઈટિસના કેસ નોંધાયા છે. આ સમસ્યા નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે.રાજયના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે. જેમાં આંખો લાલ થવાની સાથે દુખાવા અને પોપચાં ચોંટી જવા જેવી સમસ્યા આંખમાં રહેતી હોય છે.મોડાસા સહિત જિલ્લાભરની હોસ્પિટલોમાં છેલ્લા એક અઠવાડિયાથી કન્જકટીવાઈટિસના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં કન્જકટીવાઈટિસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ રોગથી બચવા માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.