અરવલ્લીમાં 3 મોત, મોડાસામાં આજથી 36 કલાક સ્વૈચ્છિક લૉકડાઉન

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં શુક્રવારે કોરોનાથી ત્રણ મોત થયા હતા. જેમાં બાયડના વૃદ્ધ અને બાયડ તાલુકાના ગાબટના વૃદ્ધ અને ધનસુરાના યુવકનું કોરોનાથી મોડાસામાં મોત થયું હતું. ભિલોડાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 6 કર્મીને કોરોના થતાં બેન્ક 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મોડાસા શહેરમાં સંક્રમણ અટકાવવા વેપારી એસો. અને પાલિકા દ્વારા શુક્રવારે બેઠક કરતાં તેમાં મોડાસા શહેરમાં શનિવારે સાંજે 6 થી સોમવાર સવારના 6 સુધી એટલે કે 36 કલાક સુધી સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન શહેરમાં મેડિકલ સેવાઓ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સંક્રમણ અટકાવવા ખેડબ્રહ્મા શહેરમાં રવિવાર અને સોમવારે બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતોે. તેવી જ રીતે ભિલોડામાં સંક્રમણ અટકાવવા ભિલોડાના બજાર શનિવાર અને રવિવારે બંધ, મેડિકલ અને દૂધ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. શુક્રવારે ઉત્તર ગુજરાતમાં કોરોના કેસોની વાત કરીએ તો સાબરકાંઠામાં 25, પાટણ જિલ્લામાં સૌથી વધુ 134, બનાસકાંઠા જિલ્લામાં 74 અને મહેસાણા જિલ્લામાં 103 કોરોના કેસો નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.