ભિલોડાના વાંકાનેર છાપરા ગામેથી કુવામાંથી 2 મૃતદેહો મળી આવ્યા

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ભિલોડા તાલુકાના વાંકાનેર છાપરાની સિમમાં આવેલા કુવામાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં. ત્યારે પોલીસે ભિલોડા ફાયર વિભાગને જાણ કરી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા વાંકાનેર છાપરાની સિમમાં આવેલા અવાવરું કૂવામાં 2 મૃતદેહો હોવાની ગ્રામજનોને માહિતી મળતા ગ્રામજનોએ ભિલોડા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મોડાસા ફાયર વિભાગને જાણ કરી હતી. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગે કુવામાંથી બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

તો એક કિશોરી અને એક યુવકના મૃતદેહ હોવાનું સામે આવ્ચું હતું. બંને મૃતદેહોને પી.એમ અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ભિલોડા પોલીસે ઓળખની તજવીજ હાથ ધરી છે. જોકે પ્રાથમિક માહિતી અનુસાર બંને મૃતદેહોમાં યુવતી વાંકાનેરની હોવાનું જાણવા મળેલુ છે જ્યારે યુવક બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે. સમગ્ર ઘટના બાબતે ચકચાર મચી જવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.