108 ફૂટ લાંબી અગરબત્તીનું અરવલ્લીમાં આગમન અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવ માટે ખાસ તૈયાર કરાયેલી અગરબત્તીનું માલપુરમાં ભવ્ય સ્વાગત કરાયું

અરવલ્લી
અરવલ્લી

હિન્દૂ સમાજની આસ્થાનું પ્રતીક એટલે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન રામ માટે અલગ અલગ ચીજ વસ્તુઓ તૈયાર કરી અયોધ્યા પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભગવાનની પ્રતિષ્ઠાના દિવસ માટે તૈયાર કરાયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીનું અરવલ્લીમાં આગમન થયું હતુ.

આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માહિત્સવની ઉજવણી કરવાની છે, ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરા ખાતે ખાસ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી ખાસ આકર્ષણ નું કેન્દ્ર રહેશે. આ અગરબત્તી બનાવી સરસ મજાના ટ્રકમાં શણગારીને અયોધ્યા માટે રવાના કરાઈ છે. ત્યારે આ અગરબત્તીનું  અરવલ્લી જિલ્લામાં આગમન થયું હતુ.

ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આ અગરબત્તી લઈ જતા ટ્રક સાથે જોડાયા છે, ત્યારે સમી સાંજે 108 ફૂટ લાંબી અગરબત્તીનું માલપુર નગરમાં ભવ્ય સ્વાગત કરાયું હતુ. હિન્દૂ યુવાવાહીની તેમજ માલપુર નગરના સામાજિક સંગઠનોએ અગરબત્તીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.