ધાનેરામાં સફરજનની ચોરી; તસ્કરો ત્રીસ કિલો સફરજન ઉઠાવી ગયા

ધાનેરામાં સફરજનની ચોરી; તસ્કરો ત્રીસ કિલો સફરજન ઉઠાવી ગયા

ધાનેરામાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, અને હવે તસ્કરોએ સફરજનને પણ નિશાન બનાવ્યું છે. ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા પાસે રાત્રિ દરમિયાન એક ફ્રૂટની લારીમાંથી અંદાજે ત્રીસ કિલો સફરજનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અગ્રવાલ ત્રણ રસ્તા પાસે પોતાની ફ્રૂટની લારી ચલાવતા વેપારીએ રાત્રે હંમેશની જેમ પોતાની લારી પેક કરીને ઘરે ગયા હતા. સવારે જ્યારે તેઓ લારી ખોલવા આવ્યા, ત્યારે તેમને લારીમાંથી ત્રીસ કિલો સફરજન ગાયબ થયેલા જોવા મળ્યા.

આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ પ્રકારની નાની-મોટી ચોરીની ઘટનાઓ ધાનેરામાં વારંવાર બનતી રહે છે, જેના કારણે વેપારીઓ ચિંતિત છે. સ્થાનિકોની માંગ છે કે પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધુ સઘન બનાવે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે તસ્કરોને હવે કોઈપણ વસ્તુ છોડતા નથી, અને હવે સફરજન જેવી સામાન્ય ચીજવસ્તુની પણ ચોરી થવા માંડી છે. આ ઘટના ધાનેરાની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સંકેત આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *