પાટણ ની 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબ ની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ

પાટણ ની 600 વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબ ની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ

વોરા સમાજે પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાહ નો કબજો મેળવ્યો; પાટણમાં આવેલી મૌલાના મહેબુબ યાકુબની દરગાહ ને લઈ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોરા સમાજના મળેલા ડેલીગેશન દરમિયાન વડાપ્રધાન દ્રારા એક વ્યક્તિ દ્રારા પાટણમાં વોરા સમાજના આસ્થાના કેન્દ્ર ઉપર કબજો જમાવ્યો હોવાનુ જણાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસનને આ મામલે ગતિવિધિ તેજ બનાવી તેઓએ વક્ફ બોર્ડનો હુકમ સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી મૌલાના મહેબુબ યાકુબની દરગાહનો કબ્જો લઈ દાઉદી વોરા સમાજને સોંપવા વકફ બોર્ડનો હુકમ હોવાનું જણાવી વ્હોરા સમાજ ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે ગુરૂવારે પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લઈ લીધો છે અને આ મામલે વકફ બોર્ડના હુકમ મુજબ અમોએ દરગાહનો કબજો લીધો હોવાનું વોરા સમાજના અલ્તાફ કોલંબિયા પાવર ઓફ એટર્ની હોલ્ડરે જણાવ્યું હતું. આજરોજ 600 વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને વર્ષોથી આ દરગાહ સુન્ની મુસ્લિમ સમાજ સાંભળતા હોય આગામી સમયમાં આ મુદ્દે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની મુસ્લિમ આગેવાનો આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *