ચાણસ્માના ખોરસમ ગામની સેવા સહકારી મંડળી લી.ને લાગેલા તાળાને લઈને ગ્રામજનોમાં રોષ

ચાણસ્માના ખોરસમ ગામની સેવા સહકારી મંડળી લી.ને લાગેલા તાળાને લઈને ગ્રામજનોમાં રોષ

કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ

મંડળી મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવાની ચિમકી

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં આવેલી સેવા સહકારી મંડળી લી છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હાલતમાં હોવાથી ગ્રામજનોને ધિરાણ અને ખાતર લેવામાં તકલીફ પડી રહી છે. જેને લઈ બુધવારે ખોરસમ ગામના વીસથી વધુ યુવાનો અને વડીલોએ  એકઠા થઈ આ મામલે પાટણ કલેકટર કચેરી ખાતે આવી કલેકટર તુષાર ભટ્ટને રૂબરૂ મળી આવેદનપત્ર સાથે પોતાની રજુઆત કરી આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા અને કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતા કલેકટરે આ મામલે યોગ્ય નિરાકરણ લાવવા ગ્રામજનોને હૈયાધારણા આપી હતી.

પાટણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયેલા ખોરસમ ગામના યુવા ખેડૂત નિરવ પટેલે સહિતના ગ્રામજનોએ મંડળીના પ્રમુખ અને મંત્રી સામે સીધો જ ભષ્ટ્રાચારનો આક્ષેપ કરી મંડળીના પ્રમુખ અને મંત્રી સામે કાયદેસરની કાયૅવાહી ની માંગ કરી છેલ્લા નવ વષૅથી બંધ મંડળી ફરથી રેગ્યુલર ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ગ્રામજનોએ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં વર્ષ ૧૯૭૪ થી સેવા સહકારી મંડળી લી. ની શરૂઆત થઈ હતી. જે વર્ષ ૨૦૧૪ માં બંધ થઈ ગઈ છે. મંડળી બંધ રહેતાં ખાતર લેવા ખેડૂતો ને ચાણસ્મા સહિત અન્ય ગામમાં  જવું પડે છે અને ત્યાં પણ લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વખત આવતો હોય છે.

તેમણે વધુમાં મંડળીના હોદ્દેદારો સામે આક્ષેપો કર્યા હતા કે મંડળીની સભા યોજતા નથી અને ડિવિડન્ડ કે ધિરાણ પણ આપતાં નથી. મંડળીની માહિતી માગીએ ત્યારે ધમકી આપતાં હોય છે. તો મંડળીનુ ઓડિટ પણ બારોબાર સભાસદોની જાણ બહાર કરાવતાં હોવાના આક્ષેપો પણ ગ્રામજનો એ કયૉ હતાં અને આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સમસ્ત ગ્રામજનો દ્રારા ન્યાય મેળવવા ગાંધી ચિંધ્યા માગૅ પર આંદોલન કરશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *