અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા હતા. વિમાન હોસ્પિટલના હોસ્ટેલ પર પડ્યું હતું, જેમાં ત્યાં રહેતા ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. હાલમાં આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને ઘાયલોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે
એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ તેની પોસ્ટમાં કહ્યું, “તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. અમારી ટીમો આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.”
#ImportantUpdate
Air India stands in solidarity with the families of the passengers who tragically lost their lives in the recent accident. Our teams on the ground are doing everything possible to extend care and support during this incredibly difficult time.As part of our…
— Air India (@airindia) June 14, 2025
એર ઇન્ડિયાએ પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹ 25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી કરશે. આ ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹ 1 કરોડ અથવા આશરે 85,000 GBP ની સહાય ઉપરાંત છે.” એર ઇન્ડિયા કહે છે કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી અમે બધા દુઃખી છીએ.