અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યાં વિમાન ક્રેશ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચ્યા છે. ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન, વિમાન દુર્ઘટનાની તપાસ પણ તેજ કરવામાં આવી છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *