રવિવારે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ નજીક ઈરાન સમર્થિત જૂથ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ પડ્યા બાદ ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યમનના હુથી બળવાખોરો સામે અનેક બદલો લેવાના હુમલાની પ્રતિજ્ઞા લીધી હતી.
હુમલા પછી તરત જ પોસ્ટ કરાયેલા એક વિડિઓ સંદેશમાં, નેતાનુઆહુએ કહ્યું, અમે ભૂતકાળમાં પણ તેમની સામે કાર્યવાહી કરી હતી અને ભવિષ્યમાં પણ કાર્યવાહી કરીશું.
ગાઝામાં પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે તાજેતરમાં ઇઝરાયલ પર મિસાઈલ હુમલાઓ વધારી ચૂકેલા હુથીઓએ એક મિસાઈલ લોન્ચ કરી જે ઇઝરાયલના મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર, બેન ગુરિયન એરપોર્ટ નજીક પડી, જેનાથી હવામાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક અહેવાલોમાં આ ઘટનામાં અનેક ઘાયલ થવાની શક્યતા સૂચવવામાં આવી હતી.
બે મહિનાના યુદ્ધવિરામ પછી માર્ચમાં ફરી શરૂ થયેલા ગાઝામાં લશ્કરી કાર્યવાહીને વિસ્તૃત કરવાની યોજના પર હસ્તાક્ષર કરવાની નજીક ઇઝરાયલી મંત્રીઓ હોવાના અહેવાલો મળ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.
નેતન્યાહૂએ તેમના વીડિયો સંદેશમાં કહ્યું કે તેમનું મંત્રીમંડળ આજે સાંજે ગાઝા હુમલાના આગામી તબક્કાની ચર્ચા કરશે, અને પુષ્ટિ આપશે કે લશ્કરી અભિયાનનો હેતુ હમાસને હરાવવાનો છે.