ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓને સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરાઈ છે.

તા.૩૦/૦૩/૨૦૨૫ ના ચૈત્ર સુદ – ૧ (એકમ) રવિવારના ઘટસ્થાપન સવારે ૦૯:૧૫ કલાકે કરવામાં આવશે. જેમાં આરતી સવારે ૦૭:૦૦ થી ૦૭:૩૦, દર્શન સવારે ૦૭:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ બપોરે ૧૨:૦૦ કલાકે, દર્શન બપોર ૧૨:૩૦ થી ૧૬:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૧:૦૦ વાગ્યા સુધીનો સમય રહેશે.

તા.૦૫/૦૪/૨૦૨૫ના ચૈત્ર સુદ-૮ (આઠમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે. તા.૧૨/૦૪/૨૦૨૫ના ચૈત્ર સુદ-૧૫ (પુનમ)ના રોજ આરતીનો સમય સવારે ૦૬:૦૦ વાગ્યાનો રહેશે તેમજ તા.૦૬/૦૪/૨૦૨૫થી મંદિરના દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે. તમામ ભક્તજનોને વિનંતી છે કે, તેઓ ઉપરોક્ત સમય મુજબ દર્શન માટે આગમન કરે તેમ જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *