આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારના ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ફર્નિચરની દુકાનોમાં આગ લાગી છે. મુંબઈના દિંડોશી વિસ્તારમાં લાકડાના કારખાના પાસે ખડકપાડા વિસ્તારમાં આ ભીષણ આગ લાગી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં કારખાનામાં રહેલો કરોડોનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. જો કે, એકંદરે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. ફાયર બ્રિગેડે ફાયર લેવલ 3 જાહેર કર્યું છે.

- January 25, 2025
0
133
Less than a minute
You can share this post!
editor