ધોરણ 8 પાસ થયેલા આસિફભાઈ ગનીએ ખેતી ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીની શોધ કરી; ખેડૂતની એક વિઘા જમીનમાં મશીન માત્ર 12 જ મિનિટમાં કામ પૂરું કરે છે; પાલનપુર તાલુકાના કાણોદર ગામના ખેડૂતે સરળ ખેતી માટે નવી ટેક્નોલોજીની શોધ કરી ખેતી લાયક મશીન તૈયાર કર્યું છે. ખેડૂતે 2 વર્ષ મહેનત કરી આં મશીન તૈયાર કર્યું છે.જેનો ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે.
પાલનપુરના કાણોદર ગામના આસિફભાઈ ગની કે જેઓ માત્ર ૮ ચોપડી પાસ કરી છે.પણ ખેતી ક્ષેત્રે ટેકનોલોજી માટે સાધનો તૈયાર કરવા માટે હંમેશા અથાગ મહેનત કરી રહ્યા છે.આજથી 15 વર્ષ પહેલાં આસિકભાઈ ગનીએ જે બોર પાણી વગર ફેઇલ થઈ જાય ત્યારે તેમાં રહેલી પાઇપો ખેડૂતો નીકાળી શકતા નહોતા પણ ગનીભાઇએ તે પાઇપો નીકાળવાનું મશીન બનાવ્યું હતું.જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે.જ્યારે ખેડૂતોને વર્ષમાં બેથી ત્રણ વાર ખેતરમાં છાણીયું ખાતર નાખવું પડતું હોય છે..ત્યારે આ ખાતર નાખવા માટે મજૂરો લાવવા પડે છે. જે સીઝનમાં મળતા નથી.
ત્યારે વર્ષોથી ખેડૂતો આ સમસ્યાથી પરેશાન હતા. તેથી આસિકભાઈ ગનીએ 2 વર્ષની સખત મહેનત બાદ છાણીયા ખાતર નાખવાનું રિમોટથી ચાલતું ટ્રોલી સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું મશીન તૈયાર કર્યું છે. ખાતર, પૈસા, મજૂરી અને સમયનો બચાવ કરતા છાણીયા ખાતર નાખવાનું મશીન એક વિઘા જમીનમાં માત્ર 12 જ મિનિટમાં કામ પૂરું કરી દે છે. ઓટોમેટિક સિસ્ટમથી કામ કરતા આ ખાતર નાખવાના મશીનમાં માત્ર એક જ ટ્રેકટર ચાલકની જરૂર પડે છે. હાલમાં બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ ખેડૂતો આ અદ્યતન ટેકનોલોજી સાથેના છાણીયા ખાતર નાખવાના મશીનનો ઉપયોગ કરી રહ્યા છે.
આસિફભાઈ ગનીએ કહ્યું હતું કે 2017 માં મશીન બનાવવાનો પાયો નાખ્યો હતો. મશીન બનાવવામાં બે થી ત્રણ વર્ષનો સમય થયો. ટેસ્ટિંગ માટે છ મહિનાનો સમય થયો. જે પ્રોબ્લેમ આવે તે સોલ્વ કરતા ગયા અને આગળ વધતા ગયા.શરૂઆતમાં 20 જેટલા મશીનો સેલ કર્યા ત્યારબાદ યુપી, પંજાબ, હરિયાણા મધ્ય પ્રદેશ ,મહારાષ્ટ્ર ,તેલંગણા,રાજસ્થાન, કર્ણાટક સહિત બહાર દેશમાં તાનજાનિયા, ઓમાન, મસકત અને યુગાન્ડામાં પણ મશીન આપ્યા છે..આ મશીનથી ખેડૂતોને સૌથી મોટો ફાયદો છે મજૂરોનો છે. સમય બચી જાય છે.દિવસમાં 50 થી 60 ટ્રોલી ખાતર નાખી શકાય છે. એક વીઘા માં 6 થી 7 ટ્રોલીની જગ્યાએ 4 ટ્રોલી ખાતર જાય છે જેનાથી ખાતરનો પણ બચાવ થાય છે. સબસીડી માટે કોશિશ કરતા હતા અને હવે સબસીડી માટેની માન્યતા મળી ગઈ છે અને આગામી સમયમાં સરકાર આના ઉપર લોનની સુવિધા કરે તો દેશમાં નાનો ખેડૂત પણ આ મશીન ખરીદી શકે.
400 મશીનનું વેચાણ; મિકેનિકલ એન્જીનીયરો જેવી હુન્નર ધરાવતા આ માઈન્ડ પાવર ખેડૂત આસિફભાઈની ખેતી ટેક્નોલોજી ક્રાંતિથી પણ કમ નથી. આધુનિક મશીન બનાવનાર આસિકભાઈ ગનીએ છાણીયા ખાતર નાખવાનું આ મશીન ભારતમાં સૌ પ્રથમવાર બનાવ્યું છે.6 લાખથી વધુ તેની કિંમત છે અને અત્યાર સુધી 400 જેટલા મશીનો સેલ થયા છે.
ખાતર જમીનમાં જલ્દી ઉતરી જતાં તાત્કાલિક વાવેતર કરી શકાય; ખાતર નાખવાના મશીનથી ખાતર ઝીણું થઈ જાય છે જે ખેતરમાં નાખ્યા બાદ મજૂરોની જરૂર પડતી નથી અને તાત્કાલિક વાવેતર કરવું હોય તો પણ થઈ શકે છે અને ખાતર જમીનમાં જલ્દી ઉતરી જાય છે. જેનાથી ખેતીમાં પણ ઉપજ સારી મળે છે. એટલે આ મશીન આવવાથી ખાતર નાખવામાં સમય અને મજૂરોની મજૂરી બચી જાય છે.અને ઝડપથી ખેતી પણ કરી શકાય છે.


