રાજકોટમાં આવેલી એક ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને ફરજિયાત કૂકરની ખરીદી કરાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલી આકૃતિ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ઉજ્જવલા-યોજનાના લાભાર્થીઓને પોતાના ત્યાંથી કૂકરની ફરજિયાતપણે ખરીદી કરાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે જિલ્લા કલેકટરને ફરિયાદ મળતા તેમણે પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે તપાસ કરાવરાવી હતી.
આ તપાસ દરમિયાન આકૃતિ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પોતાને ત્યાંથી ફરજિયાતપણે કૂકરની ખરીદી કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તપાસ દરમિયાન ફરિયાદમાં તથ્ય જણાયું હતું. જેના અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આકૃતિ ગેસ એજન્સીના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.