ઉજ્જવલા યોજનામાં કૂકર ફરજિયાત લેવાનો આગ્રહ કરતા ગેસ એજન્સી સામે કાર્યવાહી

રાજકોટમાં આવેલી એક ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને ફરજિયાત કૂકરની ખરીદી કરાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જે અંગે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક આવેલી આકૃતિ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ઉજ્જવલા-યોજનાના લાભાર્થીઓને પોતાના ત્યાંથી કૂકરની ફરજિયાતપણે ખરીદી કરાવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે જિલ્લા કલેકટરને ફરિયાદ મળતા તેમણે પુરવઠા વિભાગના અધિકારીઓ પાસે તપાસ કરાવરાવી હતી.
 
આ તપાસ દરમિયાન આકૃતિ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પોતાને ત્યાંથી ફરજિયાતપણે કૂકરની ખરીદી કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. આ તપાસ દરમિયાન ફરિયાદમાં તથ્ય જણાયું હતું. જેના અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આકૃતિ ગેસ એજન્સીના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.