પાલનપુર : પાલનપુર શહેરના સિમલાગેટ વિસ્તાર માં જમીનના વિવાદને લઇ બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને તલવારો અને હોકીઓ ઉછળતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
"જર, જમીન અને જોરૂ ત્રણે કજીયાના છોરૂ" ઉક્તિને સાર્થક ઠેરવતી ઘટના પાલનપુરમાં બની હતી. શહેરના સિમલાગેર વિસ્તારમાં આવેલી જમીનના કબ્જા બાબતે બે જુથો સામસામે આવી ગયા હતા. જ્યાં શાબ્દિક બોલાચાલી બાદ બંને જુથો વચ્ચે તલવારો ઉછળતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. અને સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. દરમિયાન ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. જેમણે મામલો થાળે પાડ્યો હતો.