બનાસકાંઠાના થરાદ ખાતે ગત સોમવારે રેફરલ ત્રણ રસ્તા પાસેથી મળેલ નવજાત શિશુના ભ્રૂણની આજે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને માનવસેવા સંગઠન દ્વારા વિધિવત રીતે અંતિમવિધી કરાઈ હતી. ગત સોમવારે આ ભ્રુણ મૃત હાલતમાં મળી આવતાં પોલીસે થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આજે આ ભ્રુણનો લેખિત કબજો લઈ થરાદના સાર્વજનિક સ્મશાન ગૃહમાં દફનવિધિ કરી આ ભ્રુણના અંતિમ સંસ્કાર કરાયા હતા.