ધાનેરામાં કતલખાના અને મટનની દુકાનો બંધ કરાવવા આવેદનપત્ર અપાયું

ધાનેરામાં જૈન સમાજ અને અન્ય હિન્દૂ સંગઠનો દ્વારા અંબાજી મંદિરથી મામલતદાર કચેરી સુધી મોટી સંખ્યામાં રેલી નિકાળીને નગરપાલિકા,ધાનેરા મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર આપવામા આવ્યું હતું.અને પવિત્ર શ્રવણ માસને અનુલક્ષીને કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.ધાનેરામાં આ જ બાબતને લઈને મહિનામાં બીજીવાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે.હિન્દૂ ધર્મમાં શ્રવણ માસ પવિત્ર માસ ગણાય છે જેના કારણે વહીવટીતંત્ર તત્કાલ આવી દુકાનો અને કતલખાના બંધ કરાવે એવી સખત માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.