થરાદની નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર

બનાસકાંઠાના થરાદ દૂધ શીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી આજે કોઈ અજાણ્યા યુવકની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી.પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની લાશને પીએમ માટે થરાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.